ગરબાડા, તા.01/05/2025
નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડાના આચાર્ય જોષી ભરતકુમાર આનંદીલાલ પોતાની ફરજના 38 વર્ષ પૂર્ણ કરી ગતરોજ 30 એપ્રિલના રોજ વય નિવૃત્ત થતા તાલુકા શાળા ગરબાડા દ્વારા તેમનો સન્માન સમારોહ / વિદાય સમારોહ કાર્યક્રમ રામદેવજી મંદિર ગરબાડામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં આચાર્યો, શિક્ષકો, સી.આર.સી. કો.ઓર્ડીનેટર, સંગઠનના હોદ્દેદારો, સગા સબંધીઓ, બાળકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા ભરતભાઈની ફરજ, નિષ્ઠાને બિરદાવવામાં આવી અને તેઓનું નિવૃત્ત જીવન નિરોગી અને સુખમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.