સૃષ્ટિના સર્જનહાર, વાસ્તુકલા અને સર્જનના દેવતા, દેવશિલ્પી ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીની ગરબાડા નગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
1339

ગરબાડા તા.03/02/2023

  • ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી.

સૃષ્ટિના સર્જનહાર, વાસ્તુકલા અને સર્જનના દેવતા, દેવશિલ્પી શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ ભારતભરમાં ઊજવવામા આવે છે. આજરોજ શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિતે ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા વિશ્વકર્મા મંદિરે સવારમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો વિશેષ શણગાર તથા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને બજારમાં ચામુંડા માતાજી મંદિરના ચોકમાં ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા નગરમાં ફરી હતી અને શોભાયાત્રા બાદ વિશ્વકર્મા મંદિરે ભગવાન શ્રી વિશ્વકર્માની આરતી તેમજ સાંજના સમયે સમાજના લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા, ગાંગરડી, ચંદલા, જાંબુઆ, ટૂંકી વિગેરે ગામોના પંચાલ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને ગરબાડા ખાતે વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here